ગુજરાત

સલામત સવારીની સફર વધુ આસાન: CM ભૂપેન્દ્ર પટેલે નવી 201 બસને લીલીઝંડી આપી રવાના કરી, આટલા વિધાનસભા ક્ષેત્રો કરશે કવર

નાગરિકોની પરિવહન સેવાને વધુ સુદ્રઢ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી 201 નવીન બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું

  • રાજ્યમાં નાગરિકોની પરિવહન સેવામાં 201 નવીન બસોને ફ્લેગ ઓફ
  • ગાંધીનગર ખાતેથી 201 નવીન બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું
  • મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ આ અદ્યતન બસોનું નિરીક્ષણ કર્યું હતું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામકથા મેદાન-ગાંધીનગર ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં 201 નવીન બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ આ અદ્યતન બસોનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ બસની મુસાફરી પણ કરી હતી.

2812 જેટલી નવીન બસો પૂરી પાડવાનું આયોજન

આ સેવાઓમાં વધારો કરવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022-23 અને 2023-24માં મળી કુલ 2812 જેટલી નવીન બસો પૂરી પાડવાનું આયોજન છે. જે પૈકી આજે ગાંધીનગર ખાતેથી 170 સુપર એક્સપ્રેસ અને 21 સ્લીપરકોચ મળી કુલ 201 નવીન બસોનું લોકર્પણ કરવામાં આવ્યું હતું. આ બસો 33 જિલ્લાના 78 ડેપો દ્વારા 125 વિધાનસભા ક્ષેત્રોમાં સંચાલિત થશે અને નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાઓ પૂરી પાડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા દરરોજ 8000થી વધુ બસોથી રાજ્યમાં કુલ 33 લાખ કિલોમીટર રૂટનું સંચાલન કરી, ૨૫ લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ બસ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત વાર-તહેવાર અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન વધારાની બસો પણ દોડાવવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button