3 કરોડના બારડોલી બસ સ્ટેન્ડમાં તમામ પંખા બંધ
મરામતના વાંકે પંખાઓ બંધ રહેતા બસ સ્ટેન્ડમાં મચ્છર-માખીનો ઉપદ્રવ
![](http://transparencynews.in/wp-content/uploads/2023/09/Bardoli-Bus-Stand.webp)
બારડોલીમાં આવેલ લિનિયર બેસસ્ટેન્ડનું ત્રણ કરોડથી વધુના ખર્ચે નવીની કરણ કરવામાં આવ્યું હતું. આ આધુનિક બસસ્ટેન્ડ્મા મુસાફરોની સુવિધા માટે દીવાલ પર હાઇ સ્પીડ પંખા લગાવવામાં આવ્યા હતા. જે છેલ્લા ઘણા સમયથી મરામતના અભાવે બંધ હાલતમાં રહેતા મુસાફરોને હાલાકી થઈ રહી છે. માત્ર ડેપો સંચાલકની આળસના લીધે પંખાનું રિપેરિંગ કરવામાં આવ્યું નથી જેને લીધે સરકારે જન હિતમાં કરેલ ખર્ચ એડે જઇ રહ્યો હોય એમ લાગી રહ્યું છે.
બારડોલી ડેપોમાં મુસાફરોની સુવિધા માટે લગાવવામાં આવે પંખા બંધ રહેવાથી બસની રાહ જોઈ બેસેલા મુસાફરો કાળ-ઝાર ગરમીમાં સેકાઈ રહ્યા છે તો હા ચોમાસાની સિઝનમાં ડેપો પરિસરમાં ભરાયેયા વરસાદી પાણી તેમજ ગંદકીના લીધે મચ્છર તેમજ માખીનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે પંખા બંધ રહેવાથી મચ્છર અને માખીનો ત્રાસ પણ મુસાફરો વેઠી રહ્યા છે ત્યારે મુસાફરોની રજૂઆત બાદ પણ ડેપો સંચાક પંખા મરામત કરવામાં કોઈ રસ દાખવ્યો નથી અને મુસાફરો હાલાકી વેઠી રહ્યા છે. તો બારડોલી રેલ્વે સ્ટેશન નજીક આવેલ ડેપોમાં પણ ત્રણ જેટલા પંખા બંધ હાટમાં હોવાનું જાણવામાં આવ્યા છે ત્યારે ડેપો સંચાલકે વહેલી તકે પંખાની મરામત કરાવે એવી મુસાફરોની માંગ છે.