દેશ

લોકસભા-રાજયસભાના ૭૬૩ સાંસદોમાંથી ૪૦ ટકાનો ગુનાહિત ઇતિહાસ, એડીઆરનું એનાલિસિસ

ગત લોકસભા ચૂંટણીમાં સોગંદનાની વિગતોમાંથી તારણ કાઢયું, સૌથી વધુ અપરાધિક કેસમાં કેરલના ૭૩ ટકા સાંસદોનો સમાવેશ

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અને નેશનલ ઇલેકશન વોચ દ્વારા બહાર પાડવામાં આવેલી એક નવી માહિતી અનુસાર રાજયસભા અને લોકસભાના ૭૬૩ સાંસદોમાંથી ૩૦૬ પર અપરાધિક બાબતોને લગતા કેસ છે. આ સંખ્યા કુલ સાંસદોના ૪૦ ટકા જેટલી થાય છે.

સાંસદોના અપરાધિક મામલાને લગતી માહિતી ગત વર્ષ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા આપવામાં આવેલા સોગંદનામા પર આધારિત છે. આ ડેટા અનુસાર ૧૯૪ સાંસદો પર ગંભીર પ્રકારના ગુના જેમ કે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ અને મહિલા વિરુધના અપરાધને લગતા કેસ છે. એડીઆર દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર અપરાધિક કેસની યાદીની જાહેરાત કરનારા સાંસદોમાં કેરલના ૭૩ ટકા જેટલા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button