તાપી
વ્યારા વકીલ મંડળની ચુંટણી માટે 9 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા
વ્યારા માં વર્ષ 2024 ના વ્યારા વકીલ મંડળના હોદ્દેદારો માટેની આવનારી ચુંટણી માટે 09 ઉમેદવારો મેદાનમાં પ્રમુખ/ઉપપ્રમુખ તથા મંત્રી પદ માટે 2-2 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.
![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
વ્યારા વકીલ મંડળના ચુંટણી કમિશ્નર એડવોકેટ મયુર એમ. પંચાલ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2024 વ્યારા વકીલ મંડળના વિવિધ હોદ્દેદારો માટે તા.22મી ડિસેમ્બર-2023ના રોજ થનારી ચુંટણી માટે જાહેરનામુ બહાર પડયા બાદ કુલ: 09 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાયેલ છે.
જેમાંથી પ્રમુખ પદ માટે એડવોકેટ મુકેશ જી. ચૌધરી તથા એડવોકેટ ગણેશકુમાર બી. ભોય તથા ઉપપ્રમુખ પદ માટે એડવોકેટ કૃણાલ એસ. પ્રધાન તથા કમલેશ વિ. ટેમ્કર તથા મંત્રી પદ માટે એડવોકેટ ગુંજન ડી. ઢીમ્મર તથા પૂર્વેશ જી. ચૌધરીનાઓએ પોતાની ઉમેદવારી નોંધાવેલ છે.
જયારે સહમંત્રી પદ માટે એડવોકેટ અભિષેક એસ. ચૌધરી, ખજાનચી પદ માટે દિવ્યા એલ.ચૌધરી તથા લાયબ્રેરીયનના પદ માટે પ્રિતીકા એ. ગામીતનાઓએ પોતાની ઉમેદવારી નોંધાવેલ છે. આમ વ્યારા વકીલ મંડળમાં આવનારી ચુંટણી માટે કુલ 09ઉમેદવારી પત્રક ભરાયા છે.