ગુજરાતદક્ષિણ ગુજરાતનર્મદારાજ્ય

ધાનપોર ગામના પાટીયા પાસે બેફામ જતી મહારાષ્ટ્ર ડેપોની એસટી બસ પલટી મારતાં 9 મુસાફરોને ઇજા

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધાનપોર ગામના પાટિયા પાસે મહારાષ્ટ્ર ડેપોની એસટી બસ પલટી મારતાં અંદર બેઠેલા મુસાફરોને ઇજા થઈ હતી. અકસ્માત સર્જનાર એસટીના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રેખાબેન રાજેન્દ્રભાઇએ રાજપીપળા પોલીસ મથકે આપેલી ફરિયાદ મુજબ, તેઓ તથા અન્ય મુસાફરો શીરપુરથી અમદાવાદ વાયા રાજપીપળા થઈને જતી મહારાષ્ટ્ર પરીવહનની શીરપુર-અમદાવાદ બસમાં બેસીને શીરપુર (મહારાષ્ટ્ર)થી નીકળ્યા હતા.

બીજા દિવસે આશરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ધાનપોર ગામના પાટીયાથી રસેલા ગામની વચ્ચે આવતા વણાંક પાસે બસના ચાલકે પોતાના કબ્જાની બસ પૂરપાટ હંકારી લાવતા સ્ટીયરિંગ ઉપરનો કાબૂ ગુમાવ્યો હતો. જેથી બસ પલટી ખવડાવતા રેખાબેન સહિત કુલ નવ મુસાફરોને ઇજા થઈ હતી. રેખાબેનની ફરિયાદના આધારે રાજપીપળા પોલીસે બસના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

રાજપીપળામાં પ્રવેશ કરતી મહારાષ્ટ્ર તરફની ઘણી બસોના ચાલક હંમેશા ગતિ પર કંટ્રોલ નહીં રાખી બિન્દાસ્ત પણે બેફામ બસો ચલાવતા જોવા મળે છે. જોકે આ ઘટનામાં નવ મુસાફરોને ઇજા થઈ છે, પરંતુ આ રીતે પૂરપાટ બસો દોડશે. તો ક્યારેક મોટી જાનહાનિ સર્જાઈ શકે તેમ હોવાથી મહારાષ્ટ્ર તરફની બસોના ડ્રાઈવર પર કંટ્રોલ જરૂરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button