નિવાલ્દા ગામના મોતીનગરમા સસરાના ત્રાસથી પુત્રવધુનો આપઘાત
![](http://transparencynews.in/wp-content/uploads/2023/09/dediapada-police-station.webp)
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ગામમાં પુત્રવધુના આપઘાતના કિસ્સામાં સસરા વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો.
મળતી માહિતી અનુસાર ભુપેન્દ્ર ડાહ્યાભાઇ વસાવા (રહે.નાના સોરાપાડા હેલંબી ફળીયા તા.ડેડીયાપાડા જી.નર્મદા)એ આપેલી ફરિયાદ મુજબ મૃતક સીમાબેન ભુપેન્દ્રભાઈ ડાહ્યાભાઇ વસાવા જે અંકિતભાઇ રામાભાઇ ફતેસિંગભાઇ વસાવાની પત્ની (ઉ.વ.આ. 19 રહે.દાભવણ તા. દેડીયાપાડા જી.નર્મદા હાલ રહે.મોતીનગર નિવાલ્દા તા.દેડીયાપાડા જી.નર્મદા)ના છે. તેના સસરા રામાભાઇ ફતેસિંગભાઇ વસાવા (મુળ રહે દાભવણ તા-ડેડીયાપાડા જી- નર્મદા હાલ રહે.મોતીનગર નિવાલ્દા તા.દેડીયાપાડા જી.નર્મદા) છેલ્લા ત્રણ વર્ષથી યેનકેન પ્રકારે ત્રાસ આપી પુત્ર અંકિત તથા મૃતક પુત્રવધૂ સાથે ઝઘડો કરી કામ બાબતે તથા નાની-મોટી વાતોમાં વાંક કાઢી અપશબ્દો બોલી માનસીક ત્રાસ આપતાં હતા. અને મરવા માટે મજબુર કરતા પુત્ર વધુએ કંટાળી જતા મરવા માટે મજબુર થઈ મોતીનગર સોસાયટી ખાતે આવેલ જીપ લાઇન રાઇડના લોખંડના સ્ટેન્ડ સાથે નાઇલોનની દોરી વડે સીમાબેનએ ગળે ફાંસો ખાઇ લેતા મોત થયું હતું. જે બાબતે ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.