તાપી
સંવિધાન શપથ: વ્યારા નગરપાલિકાના હોદેદારો દ્વારા સંવિધાન શપથ લેવામાં આવ્યા
![](http://transparencynews.in/wp-content/uploads/2023/11/vyara-nagarpalika.webp)
વ્યારા નગરપાલિકા દ્વારા સતત વ્યારા નગરમાં સ્વચ્છતા રહે એ માટે દિવસ અને રાત સાફ-સફાઈ નો અભિયાન શરૂ કરી દીધું છે જેને લઈને નગરજનોમાં પણ રાહત થઈ રહી છે.
સ્વચ્છતા હી સેવા સફાઈ ઝુંબેશ કાર્યક્રમ અંતર્ગત આજરોજ વ્યારા નગરપાલિકા દ્વારા સામૂહિક સફાઇ તેમજ સંવિધાન શપથ લેવાયા.
સુરત પ્રાદેશિક કમિશ્નર તરફથી જુઇબેન પાંડે, વ્યારા પાલિકાના ચીફ ઓફિસર તથા પ્રમુખ રિતેશ ઉપાધ્યાય, કારોબારી ચેરમેન દિલીપભાઈ જાદવ સહિત સભ્ય હાજર રહ્યા હતા. પાલિકા પ્રમુખ રીતેશભાઈ ઉપાધ્યાયે નગરજનોને અપીલ કરી જણાવ્યું હતું કે સ્વચ્છ વ્યારા સુંદર, રળિયામણું વ્યારા માટે પાલિકા કામગીરી કરી રહી છે તો નગરજનો તેમાં સહકાર આપે તે જરૂરી છે.