નર્મદા
ડેડીયાપાડાના બોગજ ગામે “આપ”ના કાર્યકરોને ઇસુદાન ગઢવીએ સંબોધ્યા
![](http://transparencynews.in/wp-content/uploads/2024/04/images-7.jpeg)
મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે ઇસુદાન ગઢવીએ ડેડીયાપાડા ના બોગજ ગામે આપના કાર્યકરોને સંબોધ્યા હતા. જ્યાં તેમણે વન વિભાગ સાથે ચેતરભાઈના કેસને વખોડીયો હતો. અને ચેતર ભાઈના જેલ જવા ઉપર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે ચૈતરભાઈ વસાવા ખેડૂતો માટે લડ્યા અને જેલમાં ગયા પરંતુ પરંતુ મનસુખભાઈ વસાવા છેલ્લા 30 વર્ષથી ડેડીયાપાડામાં એક શાળા પણ બનાવી નથી શક્યા. તેમણે લોક સમર્થન જોઈને ચેતરભાઈના વિજયનો નારો ગુંજાવ્યો હતો. સાથે જ સાથે જ આપના કાર્યકરોને આ ચૂંટણીમાં તનતોડ મહેનત કરવા માટે વિજય શંખ વગાડ્યો હતો.