માંગરોળના કંટવાવ ગામની સ્ટોન ક્વોરીની ખાણોમાં વારંવાર અકસ્માતો છતા તંત્ર મૌન
ક્વોરીની ખાણમાંથી બહાર આવતી વેળા બાઇક60 ફૂટ ઊંચેથી સ્લીપ થતા 2 કામદારોના મોત
![](http://transparencynews.in/wp-content/uploads/2024/05/images-1-6-509x470.jpeg)
માંગરોળ તાલુકાના કંટવાવ ગામેસ્ટોન ક્વોરી ની પથ્થર ખાણ માંથીબહાર નીકળી વખતે બાઈક સ્લીપથતા 60 ફૂટ ઉપર થી બાઈક નીચેખાણ માં પડતા બાઈક પર સવારબે કામદારોના ઘટના સ્થળે મોતનીપજ્યા હતા.
સ્ટોન ક્વોરીઓની પથ્થરની ખાણોમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ સર્જાતાં નિર્દોષ લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે સરકારના નીતિ નિયમો હેઠળ સ્ટોન કવોરી ખાણોના સંચાલકો વિરુદ્ધ સરકારી તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવી છે.
કંટવાવ ગામની સીમમાં આવેલ તુલસીભાઈ પાંચિયાભાઈ ચૌધરીની ખાણમાં મશીનથી પથ્થર ફોડવાનું કામ કરતા રામ પ્રકાશ સુખસેન પાલ, ઉંમર વર્ષ 21,મૂળ રહે ગંગેઇ ગામ, તાલુકો મુઘેરીયા, જિલ્લો સીધી, મધ્યપ્રદેશનો વતની છે તેની સાથે કામ કરતો તેનો સહ કામદાર રાજાગુપ્તા નગીના ગુપ્તા, ઉંમર વર્ષ 20, મૂળ ઉત્તર પ્રદેશના વતની છે. આ બંને કામદારો બાઈક લઈને પથ્થરની ખાણમાં ઉતર્યા હતા અને રાત્રી સમયે પરત બાઈક લઈને ખાણમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થઈ જતા 60 ફૂટ નીચે પથ્થરની ખાણમાં બાઈક પડી હતી આ સમયે બંને કામદારોને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માતની ઘટના સંદર્ભમાં ગિરધારીલાલ સુખદેવ ગુર્જર, મૂળ રાજસ્થાનનો વતની છે અને હાલમાં લોડીંગ ટ્રાન્સપોર્ટીગનુંકામ કરે છે તેના બે કામદારોનું મોત થતા ઝંખવાવ પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને કામદારોની લાશનો કબજો લઈ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી કરી છે, બીજી તરફ કંટવાવના પૂર્વ ઉપ સરપંચbરાજુભાઈ ચૌધરી એ જણાવ્યું કે અગાઉ પણ ખાણોમાં અકસ્માતના બનાવો વારંવાર બનતા લોકોના મોત થાય છે. છતા સુરક્ષાના કોઇ પગલા લેવાતા નથી.