તાપી
શું વાત કરો છો! વેલ્દા ગામે પાણી પુરવઠા યોજના હેઠળ પીવાના પાણીની સમસ્યા હલ કરવા જતાં મોતનું મુખનું નિર્માણ થઈ ગયું
મેઈન પાઇપ લાઈનમાં ભંગાણનું રિપેર પણ ખાડો ન પુરાયો! શું તંત્ર કોઈના ડૂબવાની રાહા જોઈને બેઠું છે?
![](http://transparencynews.in/wp-content/uploads/2024/05/app_17169052016655e4f12c328_1000219688.webp)
નિઝર તાલુકાના વેલ્દા ગામ ખાતે દક્ષિણ નિઝર જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણી સપ્લાયની મેઈન પાઇપ લાઈનમાં ગત રોજ ભંગાણ પડ્યું હતું. પાણીની પાઇપ લાઈનમાં સમારકામ કરવા માટે પાણી પુરવઠા યોજનાના કર્મચારીઓ દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો. જોકે ભંગાણ પડેલા પાણીના પાઇપ લાઈનનું સમારકામ કરી દેવામાં આવેલ છે. પરંતુ હજુ સુધી આ ખાડાનું પુરાણ ન કરાતા આજુબાજુમાંથી પસાર થતાં લોકો માટે ખાડો જોખમી બન્યો છે.