માંડવી

માંડવીની પીએન પાર્ક સોસાયટીમાં રહેતા વુદ્ધે ઝેરી દવા પી આપઘાત કર્યો

માંડવીની પીએન પાર્કસોસાયટીમાં રહેતા વુદ્ધે બિમારીથી કંટાળી જઈ શાકભાજીમાં નાંખવાની ઝેરી દવા પી લીધી હતી. તેમનું બારડોલીની ખાનગી હોસ્પિટલમાં સરાવાર દરમ્યાન મોત થયું હતું.

મુળ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઊમરકુવા ગામના વતની અને હાલ માંડવીની પીએન પાર્ક સોસાયટીમાં રહેતા પ્રતાપભાઈ કમચિભાઈ ચૌધરી (ઉ.વ.64) લાંબા સમયથી સુગર, પ્રેશર અને લકવાની બિમારીથી પિડાતા હતા. તેમણે બીમારીથી કંટાળી શાકભાજીમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. તેમને સારવાર અર્થે બારડોલીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત થયું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.

Related Articles

Back to top button