મહારાષ્ટ્રના લાલબારી ગામે સમસ્ત ખ્રિસ્તી સમાજ દ્વારા મહાસંમેલન યોજાયુ
![](http://transparencynews.in/wp-content/uploads/2023/10/મહાસંમેલન.webp)
ગુજરાત, માહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન આ ચારેય રાજ્યોની બોર્ડર ઉપર જે આદિવાસી વિસ્તાર છે એમાંના સમગ્ર ખ્રિસ્તી સમાજ દ્વારા તાપી જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્ર રાજ્યનાં નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકાના લાલબારી ગામ ખાતે ગત શનિવારના રોજ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં આ ચારેય રાજયોમાંથી અંદાજિત એક લાખથી પણ વધુ ખ્રિસ્તી સમાજનાં લોકોઓ સહીત ખ્રિસ્તી સમાજના આગેવાનો અને માજી. કેન્દ્રીય મંત્રી ડૉ.તુષાર ચૌધરી, 172-નિઝર વિધાનસભાના માજી ધારાસભ્ય સુનિલ ગામીત, તેમજ આનંદ ચૌધરી સહિત ઘણા રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
નવાપુર તાલુકાના નાનકડા ગામ ખાતે યોજાયેલ મહાસંમેલનમાં સમસ્ત ખ્રિસ્તી સમાજ એક થાય, ખ્રિસ્તી સમાજમાં એકતા બની રહે, તેમજ ખ્રિસ્તી સમાજના વિવિધ પડતર પ્રશ્નો અંગે જાગૃતા આવે તેવા અનેક મુદ્દાઓને લઇ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.