સાગબરાના કોલવાણ ગામે અચાનક ઘર તુટી પડતાં, પરિવારો પર આભ જેવો બોજો આવી પડ્યો
ઘર તુટી પડયું પણ કોઈ જાનહાની ન થઈ, પણ ઘરવખરીના સામાનની નુકશાની
![](http://transparencynews.in/wp-content/uploads/2024/02/IMG-20240209-WA0024-780x470.jpg)
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોલવાણ ગામે વસાવા દેવરામભાઈ વિરજીભાઈનું અચાનક ત્રણ ગાળાનું કાચુ ઘર ધરાશઈ થતાં ગરીબ પરિવાર લાચાર બની ખર્ચાના કારણે ચિંતાતુર દેખાઈ રહ્યાં છે.
ગઈકાલ તા.૮/૨/૨૦૨૪ ના રોજ રાત્રે ૯-૫૫ મિનિટે ધીરે ધીરે ઘરની તિરાડ પડવા લાગતાં ઘર પરિવારોએ જાન જોખમે પણ થોડુક ઘરવખરીનું સામાન બહાર કાઢયા હતાં. અને પશુઓને પણ બહાર કાઢી લીધાં હતાં. તે પછી લગભગ ૧૦-૧૫ મિનિટે અર્ધું ઘર તુટી પડ્યું હતું . અને આજે બપોરે ૧૨-૪૫ કલાકે પુર ઘર તુટી પડ્યું હતું. ત્યારે હાલમાં પરિસ્થિતી ખરાબ હોવાથી તાત્કાલીક ખર્ચાઓનું ભારણ વધતાં ચિંતામગ્ન પરિવાર જણાઈ રહ્યો હતો. કેમકે ઘર આખુ તુટી પડતાં હાલની મોઘવારીમાં કંઈ રીતે ઘર બાંધવું તેવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ઘર તુટી પડતાં ઘરની પાછલા ભાગે પ્રધાનમંત્રી આવાસ બનાવેલ હતો. તે પણ જુના ઘરના ધક્કાના કારણે તેમના પતરાં વગેરે તુટી પડ્યાં હતાં . જેથી ઘર પરિવારો હવે ઘર કંઇ રીતે બનાવવો તેવો પ્રશ્નો સતાવી રહ્યો છે. ઘર પરિવારમાં સાત જેટલા સભ્યો રહે છે. તેમને તથા પશુઓ માટે રહેવાનો સવાલ ઉપસ્થિત થયો છે. જોવું તો એ રહ્યું કે, શું આ ગરીબ પરિવારના સહારે આવશે આવશે સરકાર?