સ્થળાંતરીત પરિવારોને જોવા છે: તો વેલ્દા ટાંકી પાસે થોડો ઘણો સમય પસાર કરો
હજારોની સંખ્યામાં ગરીબ પરિવારો તમને જોવા મળશે
- ચોમાસુ પૂર્ણ થતાં જ મોટા ભાગના કામદારો સુગર ફેક્ટરીમાં શેરડી કટિંગ માટે જાય છે.
તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકા સહીત મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના ગામડામાં વસવાટ કરતા ગરીબ આદિવાસી સમાજના લોકો પોતાના વિસ્તારમાં રોજગારી પૂરતા પ્રમાણમાં મળતી હોવાથી નિઝર તાલુકામાં આવેલ વેલ્દા ટાંકી ત્રણ રસ્તા પાસે ઉચ્છલ – નિઝર સ્ટેટ હાઇવે ઉપરથી અલગ અલગ સુગર ફેક્ટરીઓમાં રોજગારી મેળવવા માટે મોટી સંખ્યામાં પોતાના કુટુંબ પરિવારો સાથે ટેમ્પો, ટ્રકોમાં બેસીને જતા જોવા મળી આવ્યા છે.
દર વર્ષે આદિવાસી સમાજના લોકો રોજગારી માટે અલગ અલગ સુગર ફેક્ટરીમાં લઇ જવામાં આવતી શેરડીનું કોટિંગ કરવા માટે જતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના ગામડામાં વસવાટ કરતા અનેક ગરીબ કુટુંબ પરિવારો તેમજ નિઝર અને કુકરમુંડા તાલુકા માંથી પણ ઘણા ગરીબ કુટુંબ પરિવારો રોજગારી અર્થે રવાના થઇ ગયા છે.
ઘણા વિસ્તારોમાં આદિવાસી સમાજના ગરીબ કુટુંબ પરિવારોને પૂરતા પ્રમાણમાં રોજગારી મળતી નથી અને થોડી ઘણી રોજગારી મળતી હોય તેમાં પણ મહેતાણું ઓછું મળતું હોવાના કારણે ઘણા એવા ગરીબ કુટુંબ પરિવારો દર વર્ષે નવરાત્રી પહેલા જ મોટા મોટા શહેરો તરફ મોંઘી રોજગારીની શોધમાં નીકળી હોય છે અને અનેક ગરીબ કુટુંબ પરિવારો સુગર ફેક્ટરીમાં જતી શેરડી કોટિંગની કામગીરી કરવા માટે જતા હોય છે.