![](http://transparencynews.in/wp-content/uploads/2024/01/ગણપત-વસાવા.webp)
લોકસભાની ચૂંટણીની તૈયારીનાં ભાગસ્વરૂપે આજે માજીમંત્રી અને ધારાસભ્ય ગણપત વસાવાના અધ્યક્ષસ્થાને ઉમરપાડા, માંગરોળ અને તરસાડી નગર ખાતે કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
માજી મંત્રી ગણપત વસાવાના અધ્યક્ષસ્થાને ઉપરોક્ત કારોબારીમાં સુરત જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી રાજેશ પટેલ, વિધાનસભા પ્રભારી ડો.આશીષ ઉપાદ્યાય, વિધાનસભા સંયોજક દિપક વસાવા, સહસંયોજક અનિલ શાહ, તાલુકા ભાજપ પ્રમુખ જયેશ પટેલની ઉપસ્થિતીમાં યોજાયેલી કારોબારી મિટીંગમાં ધારાસભ્ય ગણપત વસાવા દ્વારા હાજર સંગઠન હોદ્દેદારોના ક્લાસ લઈ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી અંગેના કાર્યક્રમોની પૂર્વ તૈયારી અંગે ગણપત વસાવા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલુકા મથકે સંગઠનને વધુ મજબૂત કરવા હાંકલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે સુરત જિલ્લા સંગઠન મંત્રી સામસિંગ વસાવા, સિતાબેન ચૌધરી, કેયુરસિંહ પરમાર(માંગરોળ), ઉમરપાડા જી.પં.સભ્યો, માંગરોળ, ઉમરપાડા, તરસાડી નગર તાલુકા સંગઠન પ્રમુખો, મહામંત્રીઓ, તાલુકા મથકનાં ગામડાનાં સરપંચો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.