નર્મદા
સાગબારાના કનખડી ગામમાં 15 વર્ષથી માનસિક બીમાર આધેડે ઝેરી દવા પી આપઘાત કરી લીધો
![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
સાગબારા તાલુકાના કનખાડી ગામે રહેતા 54 વર્ષીય રમેશ તડવી નર્મદા નાઓને છેલ્લા પંદરેક વર્ષથી પુનમ-અમાસના દિવસે માનસિક અસર થઇ આવતી હતી. મંગળવારના રોજ પૂનમ આવતી હોવાથી સોમવારના રોજ તે કનખાડી ગામની સીમમા આવેલ પોતાના ખેતરમાં બનાવેલ ઘરે હતા. તે વખતે પુનમની માનસિક અસર થઇ આવતા ઘરમાં મુકેલ મકાઇમાં છાંટવાની ઝેરી દવાની બોટલમાંથી થોડી ઝેરી દવા પોતાની જાતે પી ગયાં હતાં. તેમને પ્રથમ સારવાર સી.એચ.સી.સાગબારા ખાતે કરાવી વધુ સારવાર માટે સિવિલ હોસ્પીટલ રાજપીપલા ખાતે લઇ જઇ દાખલ કરતા સારવાર દરમ્યાન તેમનું પણ મોત થયું હોય પોલીસે ઉપરોક્ત ઘટનામાં અકસ્માત મોત દાખલ કરી છે. આદિવાસી વિસ્તારોમાં હજી લોકોમાં અંધશ્રધ્ધા જોવા મળી રહી છે.