સુરત
સુમુલ ડેરી દ્વારા મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો
![](http://transparencynews.in/wp-content/uploads/2024/04/images-8.jpeg)
મળતી માહિતી અનુસાર આગામી 7મી મે એ રાજ્યભરમાં યોજાનાર લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ચુનાવના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરે એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. સૌરભભાઈ પારધી અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ દ્વારા જિલ્લામાં યુવાનોથી માંડીને વૃદ્ધ સુધી મતદાન કરવા પ્રેરણા પુરી પાડવા દૂધની થેલી ઉપર “ચૂંટણી મહા પર્વ”નો લોગો સાથે દૂધ વિતરણ કર્યું છે. જેથી દરેક મતદાર આ મહા પર્વમાં ભાગ લઈ શકે.