માંડવી
માંડવીના ચોરંબા ગામના B.Sc, B.Ed થયેલા યુવકને ઇસર ડેમ અકાળે મોતના મુખમાં ભરખી ગયો
![](http://transparencynews.in/wp-content/uploads/2024/05/app_1714832077663642cd50e98_1000179599.webp)
માંડવી તાલુકાના ઇસર ગામે આવેલ ડેમમાં ચોરંબા ગામેથી નાહવા ગયેલા યુવાનો પૈકી એક યુવાન ઊંડા પાણીમાં ગરક થઈ જતા મોત નિપજ્યું હતું.
સ્થાનિક સૂત્ર પાસેથી મળેલી માહિતી અનુસાર માંડવી તાલુકાના ચોરાંબા ગામે રહેતા યુવાન કિરણભાઈ કાંછીભાઈ ચૌધરી (25) કે જેઓ ગામના નજીકમાં આવેલા ઈસર ડેમમાં પોતાના મિત્રો સાથે નાહવા માટે ગયા હતા ઈશર ડેમમાં નાહવા પડેલા યુવાનો પૈકી કિરણભાઈ ઊંડા પાણી તરફ જઈ રહ્યા હતા પાણીમાં ગરક થઈ ગયા હતા નહાવા પડેલા અન્ય યુવાનોએ બૂમાબૂમ કરી હતી અને બચાવવા માટેના પ્રયાસો કર્યા હતા પરંતુ પાણીમાં ડૂબેલા યુવાનનું મોત નીપજ્યું હતું.
માંડવી ફાયરની ટીમને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને શોધી કાઢી હતી. બી એસ સી બીએડ થયેલા આશાસ્પદ યુવાનના મોતથી ભારે ગમગીની છવાઈ ગઈ હતી માંડવી પોલીસે ઘટનાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.