કામરેજ તાલુકામાં આદિવાસી સંગઠનો દ્વારા આદિવાસી ઉત્સવ ઉજવાયો, આગેવાનોએ યુવાનો શિક્ષિત બને તે માટે હાંકલ કરી
![](http://transparencynews.in/wp-content/uploads/2023/08/World-Tribal-Day-celebration-in-Kamrej-.webp)
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આદિવાસી સમાજના સંગઠનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો જોડાયા હતા.
વિશ્વના ધ્યાનાકર્ષણ માટે 1994માં સયુંકત રાષ્ટ્ર સંઘ (UNO)ની મહાસભા દ્વારા પ્રતિ વર્ષ 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારે સુરત જિલ્લા કામરેજ તાલુકામાં આદિવાસી સંગઠનો દ્વારા ખાતે આદિવાસી સમાજના આગેવાન મુકેશ રાઠોડની આગેવાનીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આયોજિત આ રેલી કામરેજ તાલુકાના નગોડ, રુંઢવાડા, વિહાણ, શામપૂરા,નવાગામ સહિતના ગામડાઓમાં ફરી હતી. આયોજિત આ રેલીમાં અંદાજિત 2500થી વધુ આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો જોડાયા હતા અને DJના તાલે ઝૂમી ઉઠ્યા હતા.
આગેવાનોએ યુવાનો શિક્ષિત બને તે માટે હાંકલ કરી
વિહાણ ગામે આયોજિત સભામાં આદિવાસી સમાજના આગેવાન મુકેશ રાઠોડ દ્વારા હાજર યુવાનોને આદિવાસી સમાજના ઇતિહાસને લઈને જરૂરી માહિતી આપી હતી. તેમજ આગામી દિવસોમાં આદિવાસી સમાજના યુવાનો શિક્ષિત બને તે માટે હાંકલ કરી હતી. આયોજિત આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપના મહામંત્રી યોગેશ પટેલ, કામરેજ તાલુકા ભાજપના પ્રમુખ બળવંત પટેલ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રસિક પટેલ, તાલુકા મહામંત્રી હિરેન પટેલ, આદિવાસી સમાજના આગેવાન દલપત રાઠોડ, નિલેશ રાઠોડ, છના ભાઈ નવી પારડી, વિરલ રાઠોડ, ટિંબા ગામના સરપંચ શુભાશ રાઠોડ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.