2021-22 મનરેગા અંતર્ગત વાલોડ તાલુકાના દાદરીયામાં લાઇબ્રેરી રીપેરીંગ અને મેન્ટેનન્સના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો
![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
વાલોડ તાલુકાના ખાતે 2021-22 મનરેગા અંતર્ગત લાઇબ્રેરી રીપેરીંગ અને મેન્ટેનન્સના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરાયા છે. આ અંગે અગાઉ પણ જાણ કરવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરતા ટીડીઓને અલ્ટીમેટમ અપાયુ હતું. પણ ભ્રષ્ટ્રાચારીને કોણ છાવરી રહ્યું છે એ સૌથી મહત્વનો સવાલ છે?
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દાદરીયા મુકામે રહેતા ચૌધરી કાર્તિક્કુમાર જશવંતભાઈ અને અન્ય યુવાનોએ તાલુકા વિકાસ અધિકારી વાલોડને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે . તેમાં જણાવ્યું હતું કે દાદરીયા ખાતે મનરેગા અંતર્ગત લાઇબ્રેરીનું રીપેરીંગ અને મેન્ટેનન્સનું કામ વર્ષ 2021-22 માં કરવામાં આવ્યું હતું. જેમાં કામગીરીમાં દેખીતી રીતે ભ્રષ્ટાચાર થયો હોવાનું ગ્રામજનોને પુરવાર થતાં ગ્રામજનોએ આર.ટી.આઈ. એક્ટ હેઠળ માહિતી માંગતા બાંધકામ એસ્ટીમેન્ટ તથા રજુ કરેલ બિલમાં ભ્રષ્ટાચાર સ્પષ્ટ જોવા મળેલ હતો. તથા સ્થળ તપાસ કરતા ગ્રામજનોને બિલ મુજબની ચીજ વસ્તુઓ સ્થળ પર જોવા ન મળતા તથા તાલુકા વિકાસ અધિકારીને આ અગાઉ તા. 20/02/2024 ના રોજ લેખિત અરજ કરેલ અને સમગ્ર ભ્રષ્ટાચાર અંગે જાણ કરી હોવા છતાં પણ જવાબદાર કર્મચારીઓ દ્વારા આજ દિન સુધી ભ્રષ્ટાચાર બાબતે ખુલાસો કરવામાં આવ્યો નથી આર.ટી.આઈ માં મળેલ એસ્ટીમેન્ટ અને બિલની સાધનિક કાગળો સહિત અરજ કરેલ છે તથા ભ્રષ્ટાચાર બાબતે જો યોગ્ય કાર્યવાહી ન થાય તો ગાંધીજી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. અરજદારો દ્વારા ભ્રષ્ટાચારને ઉજાગર કરવા અગાઉ પણ તાલુકા વિકાસ અધિકારીને ફેબ્રુઆરી માસમાં લેખિતમાં અરજ કરી હોવા છતાં ભ્રષ્ટાચારીઓને છાવરવા માટે કે બચાવવા માટે અરજદારોની અરજી સંદર્ભે કામગીરી ન કરી ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવી રહ્યા છે. ભ્રષ્ટાચારીઓને ભ્રષ્ટાચાર ખુલ્લો પડે તે માટે હાલના ટીડીઓ પાસે દાદરીયા નિવાસીઓએ ફરી અરજ કરી છે અને જો કાર્યવાહી ન થશે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરશે તે સરકારને નીચે જોવા જેવું થશે. કાર્તિક ચૌધરીએ જણાવ્યું હતું કે કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે, બિલ એસ્ટીમેન્ટ મિસમેચ છે, લેેખિતમાં ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવા ફરિયાદ અરજ કરી છે તેમ છતાં કામગીરી ન કરતા ફરી ફરિયાદ કરવી પડી છે, ભ્રષ્ટાચારીઓને બચાવવામાં આવી રહ્યા છે જે યોગ્ય નથી.