![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી-ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારના સહયોગથી આર્મીમાં જોડવા ઈચ્છતા અનુસુચિત જનજાતિના ઉમેદવારો માટે વિનામૂલ્યે 75 દિવસની રહેવા-જમવાની સુવિધા સાથે રાષ્ટ્રીય રક્ષા યુનિ.માં તાલીમ યોજાશે.
- લઘુતમ ધો.10 પાસ,
- અનુસુચિત જનજાતિ કેટેગરીનું પ્રમાણપત્ર ધરાવતા હોય
- તેમજ જેઓઓ જન્મ 1 ફેબ્રુઆરી, 2004 થી 1 એપ્રિલ, 2007 (બને દિવસો સહિત)ની વચ્ચે થયો હોય તેવા
સુરત શહેર-જિલ્લાના ઉમેદવારોએ તા.12/10/2023 ના સવારે 12 વાગ્યે રોજગાર કચેરી, સી બ્લોક, પાંચમો માળ, બહુમાળી ભવન, નાનપુરા, સુરત ખાતે સંલગ્ન ડોક્યુમેન્ટ્સ સાથે હાજર રહેવા અનુરોધ છે.