દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટમાંથી ન મળી રાહત, આગામી સુનાવણી 3 એપ્રિલે
![](http://transparencynews.in/wp-content/uploads/2024/03/કેજરીવાલ-780x470.webp)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત દારૂ કૌભાંડ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે કેજરીવાલની ધરપકડ સામે EDને જવાબ દાખલ કરવા માટે 2 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી હવે 3 એપ્રિલે થશે. આ કેસની સુનાવણી આજે સવારે શરૂ થઈ હતી. લગભગ બે કલાકની પૂછપરછ બાદ 21 માર્ચે ED એ અરવિંદ કેજરીવાલની તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. દિલ્હી કથિત દારૂ કૌભાંડમાં રૂઝ એવન્યુ કોર્ટે તેને 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધો હતા.
હવે 3 એપ્રિલે થશે સુનાવણી
જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની કોર્ટે EDની ધરપકડ અને કસ્ટડીને પડકારતી કેજરીવાલની અરજી પર નોટિસ જારી કરી છે અને ED પાસેથી જવાબ માંગ્યો છે. એજન્સીએ 2 એપ્રિલ સુધીમાં વચગાળાની રાહત માટેની કેજરીવાલની અરજી પર પોતાનો જવાબ દાખલ કરવાનો રહેશે. કોર્ટ હવે આ કેસની સુનાવણી 3 એપ્રિલે કરશે.
EDના વકીલે કહ્યું- પિટિશનની કોપી ગઈકાલે જ મળી હતી