સાગબારા તાલુકા મથકે “બેટી બચાવો” નો સ્લોગન ફુકનાર સરકારના રાજમાં બેટીની આબરૂનો સવાલ
સાગબારા તાલુકા મથકના જાહેર શૌચાલય બાબતે સાંસદ મઞસુખ વસાવાને જાહેરમાં રજુઆત અને સોશ્યાલ મિડીયામાં વર્ષોથી સવાલ છતાં પરીણામ ઝીરો
![](http://transparencynews.in/wp-content/uploads/2024/02/IMG-20240223-WA0008-1-780x470.jpg)
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા મથકે જાહેર શૌચાલય જર્જરિત તેમજ બિજી કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી કામગીરી અર્થે આવતી બેટીઓને “બેટી બચાવો”ની સરકારમાં જ આબરૂ ઢાંકવા કોઈ નેતાઓ, અધિકારીઓ કે સામાજીક કાર્યકરો મદદ કરવા તૈયાર નથી. બધાં પ્રશ્નથી વાકેફ હોવા છતાં “બેટી બચાવો” ના સુત્રોચ્ચાર કરે છે .પણ બોલવાથી બેટીઓની આબરૂ કંઈ રીતે ઢાંકી શકાય?
સાગબારા તાલુકા મથકનું શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે. ભાઈઓ કે બહેનોને શૌચક્રિયા કરવા પગ મુકવાની જગ્યા નથી. પેશાબનો કોઈ નિકાલ થતો નથી. કચરો અને બિયરની બાટલીઓ નજરે પડે છે. આ પ્રશ્નો તમામ તાલુકાના સરપંચો, જિલ્લા/તાલુકા પંચાયતોના સભ્યો અજાણ નથી. છતાં સાગબારા તાલુકા મથકના શૌચાલય બાબતે કોઈ દિલચશ્પી નથી. જેના કારણે કામકાજ અર્થે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતાં લોકોને ભારે તકલીફ ઉભી થાય છે. તે પૈકી પુરૂષો ગમે ત્યાં બહાર પણ ફરી આવે પણ બહેનોને શરમના મારે બહુ જ તકલીફ પડી રહી છે. બહેનો જાય ક્યાં તે એક સવાલ છે. સાગબારા તાલુકામાં ઘણાં બેટી બચાવોના કાર્યક્રમો થયા છે .પણ શૌચાલય બનાવવાનો કાર્યક્રમો વિચાર કેમ આવતો નથી . સાગબારા તાલુકા મથકના જાહેર શૌચાલય બાબતે ચાર વર્ષથી સોશ્યાલ મિડીયામાં પ્રશ્ન ચગાવવામાં આવે છે. અને ત્રણ વર્ષ પહેલાં RTO નાકા પાસેના જાહેર કાર્યક્મમાં સામાજિક કાર્યકર આનંદ વસાવાએ ખુદ સાંસદ મનસુખ વસાવાને રજુઆત કરેલ છતાં પરીણામ મળ્યું નથી.
જેથી સાગબારા તાલુકા મથકના શૌચાલય બાબતે બહેનો મનોમન ભારે આક્રોશ વ્યક્ત કરી રહી છે. પણ શું કરે ? પ્રજા લાચાર બની બધુ વેઠી રહી છે .