માંગરોળ

કંટવાવ ગામના પ્રવેશદ્વાર પર બનેલ ગરનાળુ માત્ર મહિનામાં તૂટતા ભ્રષ્ટાચારની પોલ ખુલી

માંગરોળ તાલુકાના કંટવાવ ગામના પ્રવેશ દ્વાર પર માત્ર એક માસ પહેલા બનાવેલું તુટી જતા કામમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.


સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા ગળનાળા ના કામ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, છતાં સરકારના નીતિ નિયમો અનુસાર વિકાસ કામો કરવામાં આવતા નથી, જેનો બોલતો પુરાવો કંટવાવ ગામે જોવા મળ્યો હતો. વાંકલ ઝંખવાવ મુખ્ય માર્ગ થી કંટવાવ ગામમાં પ્રવેશવાના આંતરિક માર્ગ પર ગળનાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ કામની એક માસ પૂરો થયો નથી તે પહેલા ગળનાળુ તૂટી ગયું છે.

અને મહત્વની બાબત એ છે કે ગરનાળુ તૂટી જતા વાહન ચાલકને અકસ્માત થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેથી સામાજિક કાર્યકર કિર્તીભાઈ ચૌધરી દ્વારા આ કામમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ કરાયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button