![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
સોનગઢના ચોરવાડ ગામે ખેતર ખેડવાની બાબતે બે ભાઈઓ વચ્ચે માથાકૂટ થતાં એક ભાઈએ બીજા પર વાંસની લાકડી વડે હુમલો કરી તેને હોસ્પિટલ ભેગો કરી દીધો હોવાનો બનાવ નોંધાયો છે. આ અંગે મળેલી વિગત મુજબ સોનગઢના ચાકળિયા ગામે રહેતાં શંભુભાઈ ગામીતની વારસાઈ હકમાં મળેલી જમીન નજીકના ચોરવાડ ગામમાં આવેલી છે અને તેઓ વર્ષોથી ખેડતાં આવ્યાં છે. બુધવારે બપોરે શંભુભાઈ ગામીત તેમના દીકરાને સાથે રાખીને આ ખેતરમાં ટ્રેકટર વડે ખેડાણ કરતાં હતાં. આ સમયે બાજુમાં જ ખેતર ધરાવતો તેમનો ભાઈ ગણેશ નૂરજી ગામીત પણ ખેતી પાકમાં પાણી વાળતો હતો.
આ વખતે બંને ભાઈઓ વચ્ચે જમીન અથવા અન્ય એવી કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ ઝઘડા દરમિયાન ગણેશભાઈ એકદમ ઉશ્કેરાટમાં આવી ગયો હતો અને તેણે પોતાના હાથમાં રહેલી વાંસની લાકડી વડે સગા ભાઈ એવાં શંભુભાઈ ગામીત પર હુમલો કર્યો હતો જેથી તેમને હાથના ભાગે ઇજા થઇ હતી.
આ સમયે તેમનો દીકરો સ્નેહલ પણ ત્યાં દોડી આવ્યો હતો. તેણે કહ્યું કે મારા પિતાને કઈ થયું તો હું અહી જ તમારી કબર બનાવી દઈશ એમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી બાદમાં તેઓ ત્યાંથી ચાલી ગયાં હતાં. એ પછી હુમલોનો ભોગ બનેલાં શંભુભાઈને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે સોનગઢ પોલીસ મથકે દાનીયેલભાઈ ગામિતે ગણેશ નૂરજી અને સ્નેહલ ગણેશ સામે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.