આદિવાસી વિસ્તારોમાં પોળા પર્વની ઉજવણી
ચૌવરી અમાસે પ્રકૃતિ પ્રેમી આદિવાસી સમાજ દ્વારા બળદોને શણગારી વિશેષ પૂજા કરવામાં આવી
![](http://transparencynews.in/wp-content/uploads/2023/09/Celebration-Of-Pola-Parva-In-Surat-Tapi-District-512x470.webp)
આફીવાસી સમાજનાં લોકોઓ દ્વારા ખેડૂતનાં સાથીદાર એવા બળદનો તહેવાર ચૌવરી અમાસ (પોળા)ની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી હતી. આદિવાસી સમાજમાં ચૌવરી અમાસ (પોળા) પર્વની ઉજવણી વર્ષોથી આદિવાસી સમાજનાં વડીલોથી ચાલી આવેલ પરંપરા છે. જે પરંપરાગત મુજબ દર વર્ષે આદિવાસી સમાજ આ ચૌવરી અમાસ (પોળા)નો તહેવાર ઉજવે છે.
ચૌવરી અમાસ (પોળા)નો તહેવારનાં દિવસે બળદોઓ માટે ખેડૂતો તેમજ પરિવારનાં સભ્યો ઘાસચારો ઘરે જ લાવીને ખવડાવતા હોય છે. આ તહેવારનાં દિવસે બળદોને ખેડૂતોઓ ખેતરોમાં કામ માટે લઇ જતા નથી. અને તે દિવસે કોઈ પણ ખેડૂતો કે ખેતમજૂરો ખેતરોમાં કામ કરતા નથી. ચૌવરી અમાસ (પોળા)નાં દિવસે ખેડૂતોઓ બળદોઓને બોપર પછી નહડાવી – ધોવડાવીને રંગ બે રંગોથી રંગીને શણગાર કરીને નવી નાથો પહેરાવી અને નવી દોરીઓ બાંધવામાં આવે છે.
ત્યાર બાદ સાંજનાં આશરે ચારેક વાગ્યાથી રંગ બે રંગોથી શણગાર કરેલા બળદોઓને દરેક ગામમાં આવેલ હનુમાન દાદાનાં મંદિર લઇ જવામાં આવે છે. જ્યાં હનુમાન દાદાનાં મંદિરનાં ફરતે બળદોને પાંચ રાઉન્ડ ફેરવીને પૂજા અર્ચના કરવામાં આવે છે.
ત્યાંથી પૂજા અર્ચના કરીને બળદોને પોત પોતના ઘરે લાવીને ઘરનાં પરિવારો પણ બળદોની આરતી સાથે પૂજા અર્ચના કરીને ઘઉંની રોટલીઓ, મીઠી રોટલીઓ, ખવડાવતા હોય છે. આદિવાસી સમાજનાં લોકોઓ ખેડૂતનાં સાથીદાર એવા બળદનાં તહેવાર એવો ચૌવરી અમાસ (પોળા)નાં દિવસે ખેડૂતો અને તેમના પરિવારનાં સભ્યોઓ સહીત બળદોની પૂજા અર્ચના કરીને સુખ શાંતિ માટે આશીર્વાદ માંગતા હોય છે.