ધારાસભ્ય મોહન ઢોડિયાએ ‘એક દિવસ એક કલાક’ શ્રમદાન કર્યું
મહુવા તાલુકાના કરચેલિયા ગામમાં તાલુકા પંચાયત પાસે
![](http://transparencynews.in/wp-content/uploads/2023/10/mohan-dodiya.webp)
ભારત સરકારના “સ્વચ્છતા પખવાડિયા” અંતર્ગત “સ્વચ્છતા હી સેવા” અભિયાન અન્વયે 2 ઓક્ટોબરના મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના પૂર્વે દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ સ્વચ્છતા માટે ‘એક તારીખ એક કલાક શ્રમદાન’ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ કરચેલીયા ગામ તાલુકા પંચાયત પાસે સાફ સફાઈ કરી હતી. આ શ્રમદાન સાફ-સફાઈના અભિયાનમાં તાલુકા પંચાયત પ્રમુખ શિલાબેન, જિલ્લા પંચાયત સભ્ય રિટાબેન, તાલુકા ભાજપ પ્રમુખશ હિતેશ નાયક,સરપંચ કેયુર પટેલ તથા અન્ય આગેવાનો જોડાયા હતા.
ધારાસભ્ય ઈશ્વર પરમારે પણ સ્વરાજ આશ્રમ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું
ભારત સરકારના “સ્વચ્છતા પખવાડિયા” અંતર્ગત “સ્વચ્છતા હી સેવા” અભિયાન અન્વયે બીજી ઓક્ટોબરના મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના પૂર્વે દેશભરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ સ્વચ્છતા માટે ‘એક તારીખ એક કલાક શ્રમદાન’ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પરમારે આજરોજ સ્વરાજ આશ્રમ ખાતે સાફ સફાઈ કરી હતી. આ શ્રમદાનમાં રોડ – રસ્તા ઉપર બ્રસિંગ કરી જાહેર માર્ગો સાફ-સફાઈના અભિયાનમાં પદાધિકારીઓ-અધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતા.