માંગરોળ

માંગરોળના ચરેઠા ગામે કાંકરાપાર જમણા કાંઠા નહેરમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી

માંગરોળ તાલુકાના ચરેઠા ગામેથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠા નહેરમાં તણાઈ આવેલા એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

શાહ ગામના મહેશભાઈ ઉમેશભાઈ વસાવાએ જાણાવ્યું હતું કે, ચરેઠા ગામની સીમમાં આવેલા કાકરાપાર નહેરના જમણા કાંઠે ઊંડા પાણીમાં કોઈ અજાણ્યા ઈસમની મરણ ગયેલી હાલતમાં લાશ પડી હતી. જેથી તેઓ શાહ ગામથી ચરેઠા ગામે પહોંચ્યા હતા, ત્યારે એક અજાણ્યા પુરૂષ ઈસમની લાશ નહેરમાં નજરે જોઈ હતી. જે લાશ ચત્તી હાલતમાં હતી. જેની ઉંમર આશરે 30થી 32 વયની છે. સદર લાશને જોતા તે શરીરે મજબુત બાંધાનો છે. રંગે શ્યામ વર્ણનો છે જેનું મોઢું જોતા ખુલ્લી હાલતમાં છે તથા તે અજાણ્યા ઈસમની આંખો બંધ હાલતમાં છે. જેના વાળ કાળા કલરના તથા માથાના ભાગે ઘસાવાથી અર્ધા વાળ માથાના ભાગથી નીકળી ગયેલા હાલતમાં છે. ઉંચાઈ આશરે 5/5 ફુટ જેટલી છે. જેના શરીર ઉપર શરીરે જાંબલી તથા સફેદ ડિઝાઇન વાળુ લાંબી બાયનું શર્ટ પહરેલું છે તેમજ ગ્રે કલરનો પેન્ટ પહેરેલું છે. મરણ જનાર અજાણ્યા ઈસમની છાતીના ભાગે ઘસાય ગયેલાના નિશાન છે.

આ ઘટનાની જાણ તેમણે પોલીસને કરી હતી. પોલીસે આવી નહેરમાંથી લાશ બહાર કાઢી લાશને પીએમ કરાવવા માટે લઈ જવામાં આવી હતી. મરણ જનારના વાલી વારસો મળી રહે એ હેતુથી હાલ લાશને કોલ્ડરૂમમાં રાખવામાં આવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Back to top button