અગામી તારીખ 9ને શનિવારના રોજ બપોરે ત્રણ કલાકે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો ન્યાય યાત્રા માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે આવી રહી છે. ત્યારે હજારો કાર્યકરો યાત્રાનું ભવ્ય સ્વાગત કરે તે પ્રકારનું આયોજન કરવા માટે વાંકલ ગામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી તરુણભાઇ વાઘેલા સુરત જિલ્લા કોંગ્રેસ લઘુમતી સેલના પ્રમુખ શબ્બીરભાઈ મલેક જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શાહબુદ્દીન મલેક દ્વારા કાર્યકર્તાઓને યાત્રાની માહિતી આપવામાં આવી હતી.
વિવિધ સ્થળો ઉપર પોસ્ટરો, બેનરો લગાવી પ્રચાર પ્રસાર કરવામાં આવે અને વધુમાં વધુ કાર્યકર્તાઓ અને લોકો ઝંખવાવ ખાતે ઉપસ્થિત રહે તે માટે સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોંગ્રેસના સક્રિય કાર્યકરોને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. જેથી કાર્યકર્તાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વિવિધ ગામોનો પ્રવાસ શરૂ કરવામાં આવ્યો હતો.