દેશ

રાહુલ ગાંધી વાયનાડ જવા રવાના

સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ પ્રથમવાર મતવિસ્તારની મુલાકાત કરશે

  • સોમવારે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી
  • સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ કેસમાં સજા પર રોક લગાવ્યો હતો

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બે દિવસીય પ્રવાસ પર તેમના સંસદીય ક્ષેત્ર વાયનાડ જવા રવાના થયા છે. થોડા દિવસો પહેલા જ લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ કોંગ્રેસના નેતાની વાયનાડની આ પ્રથમ મુલાકાત છે. રાહુલ ગાંધીની મુલાકાતને લઈને કોંગ્રેસના કેરળ એકમમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દિલ્હીમાં તેમના નિવાસસ્થાનથી કેરળના વાયનાડ જવા રવાના થયા છે.

રાહુલ ગાંધીએ સંસદમાં મણિપુર પર કેન્દ્ર સરકારને ઘેરી હતી

સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ કેસમાં સજા પર રોક લગાવ્યા બાદ સોમવારે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી, ત્યારબાદ તેઓ ફરી એકવાર સંસદ પહોંચ્યા હતા. તેમણે મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લીધો હતો અને મણિપુર પર કેન્દ્ર સરકારને ઘેરી હતી. મોદી સરનેમ કેસમાં સુરતની CJM કોર્ટે આ વર્ષે 23 માર્ચે રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી, જેના કારણે તેમની સંસદની સદસ્યતા સમાપ્ત કરવામાં આવી હતી. ચાર મહિનાથી વધુ સમય બાદ 4 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે સજા પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો.

રાહુલ સાંસદ બન્યા બાદ વાયનાડ ગયા હતા

આ પહેલા રાહુલ ગાંધી સંસદમાં ગયા બાદ 10 એપ્રિલે વાયનાડના પ્રવાસે ગયા હતા. તે દરમિયાન તેમણે સંસદની સદસ્યતા નાબૂદ કરવા માટે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મારી સંસદ સદસ્યતા છીનવાઈ ગઈ, મારું ઘર છીનવાઈ ગયું. તેઓએ પોલીસને મારી પાછળ મૂકી દીધી, પણ મને કોઈ ફરક પડતો નથી. મારું ઘર 50 વખત લો, પરંતુ હું ભારત અને વાયનાડના લોકોના મુદ્દા ઉઠાવતો રહીશ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button