ચોર્યાસીસુરત

આદિવાસી સ્ત્રીનાં વસ્ત્રો પર યુનિ.ના પ્રોફેસરની ટિપ્પણીથી વિવાદ

વીર નર્મદ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રોફેસર અમિત ગામીત સામે વિદ્યાર્થિનીઓએ ગંભીર ફરિયાદ કરી છે. તેમણે આદિવાસી મહિલાઓનાં કપડાં પહેવાની પધ્ધતિ અંગે અભદ્ર ટિપ્પણી કર્યાના આક્ષેપો કરાયા છે. આ ઉપરાંત વિદ્યાર્થિનીઓ પર પણ કોમેન્ટ કરી હતી. આ અંગે વિદ્યાર્થીઓએ કુલસચિવને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. ઘટના બાદ પ્રોફેસર વિભાગમાં આવતા ન હોવાનું જાણવા મળે છે.

તપાસ કરી કાર્યવાહી કરાશે
આ અંગે યુનિવર્સિટીના કુલસચિવ ડો. રમેશદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આ અંગે વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે. આ ફરિયાદની તપાસ કરવામાં આવશે અને કસુરવાર જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

મામલો ઠંડો પાડવા પ્રયાસ
વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપો કરવા છતાં વિભાગે જ કમિટી બનાવી તપાસ કરી હતી. કમિટીએ પ્રોફેરસની પૂછપરછ કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button