![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
વીર નર્મદ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રોફેસર અમિત ગામીત સામે વિદ્યાર્થિનીઓએ ગંભીર ફરિયાદ કરી છે. તેમણે આદિવાસી મહિલાઓનાં કપડાં પહેવાની પધ્ધતિ અંગે અભદ્ર ટિપ્પણી કર્યાના આક્ષેપો કરાયા છે. આ ઉપરાંત વિદ્યાર્થિનીઓ પર પણ કોમેન્ટ કરી હતી. આ અંગે વિદ્યાર્થીઓએ કુલસચિવને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. ઘટના બાદ પ્રોફેસર વિભાગમાં આવતા ન હોવાનું જાણવા મળે છે.
તપાસ કરી કાર્યવાહી કરાશે
આ અંગે યુનિવર્સિટીના કુલસચિવ ડો. રમેશદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આ અંગે વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે. આ ફરિયાદની તપાસ કરવામાં આવશે અને કસુરવાર જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
મામલો ઠંડો પાડવા પ્રયાસ
વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપો કરવા છતાં વિભાગે જ કમિટી બનાવી તપાસ કરી હતી. કમિટીએ પ્રોફેરસની પૂછપરછ કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.