સાપુતારાના નવાગામના વિસ્થાપિતો સાથે ડાંગ SPનો લોક સંવાદ
પોલીસ અને પ્રજા વચ્ચે મનભેદ રહેવો જોઈએ નહીં
![](http://transparencynews.in/wp-content/uploads/2023/09/sp-dang.webp)
સાપુતારા માટે વિસ્થાપિત થયેલા નવાગામના લોકો સાથે ડાંગ જિલ્લા પોલીસ વડા અને ગામના પોલીસ પટેલ સહિત ગ્રામજનોનો લોક સંવાદ યોજાયો હતો, જેમાં જિલ્લા પોલીસ વડાએ બાળકો ભણતર તરફ આગળ વધે એ બાબતે ભાર મૂક્યો હતો.
સાપુતારાના વિકાસ માટે જમીન ગુમાવનારા નવાગામના ગ્રામજનો જોડે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાએ સંવાદ સાધ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગામના પોલીસ પટેલ પુન્ડલીકભાઈ ગાંગુર્ડે અને ગ્રામજનો જોડે ચર્ચામાં ખાસ કરીને નવી પેઢી ભણતર તેમજ ધંધા-રોજગાર તરફ આગળ વધે એ વિષયમાં ચર્ચા થઈ હતી. નાના-મોટા ઝઘડા ગામ પંચમાં સમાધાન થાય એ વિષયમાં ચર્ચા થઈ હતી. { વિસ્તાપિતો સાથે સંવાદ કરતા એસપી નજરે પડે છે.
પોલીસને લગતી કોઇપણ મોટી સંસ્યા હોય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો નવાગામના લોકો ગુનાહિત પ્રવૃત્તિમાં નહીંવત પ્રમાણે જણાય છે. નવાગામના લોકો ખૂબ જ મહેનતુ અને હોંશિયાર છે. તેથી પોતાનાં બાળકો પર ખાસ ધ્યાન રાખે અને નવાગામનું ભણતરનું સ્તર ખૂબ જ ઊંચું આવે તે માટે પ્રયાસ કરવા જોઈએ. પોલીસ અને પ્રજા વચ્ચે મનભેદ નહીં રહેવો જોઈએ. પોલીસને લગતી કોઈપણ મોટી સમસ્યા હોય તો તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી જાણ કરવી જોઈએ. > યશવાલ જગાણીયા, ડાંગ, એસ.પી.