ખોટી હવા ઊભી કરી… શૉમાં પાછા નથી આવ્યા દયાબેન, જેઠાલાલની સાથે દર્શકોના પણ દિલ તૂટ્યા, લોકોએ કહ્યું TMKOCનું કરો બૉયકોટ
તારક મહેતા કા ઊલ્ટા ચશ્મામાં દયાબેનની વાપસી નથી થઈ રહી તેવામાં શૉનાં ફેન્સ શૉને બોયકોટ કરવાની માંગ કરી રહ્યાં છે. #Boycotttmkoc ટ્રેન્ડ થઈ રહ્યો છે.
![](http://transparencynews.in/wp-content/uploads/2023/12/IMG_20231204_062238-780x450.jpg)
- તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા શૉથી નારાજ થયાં ફેન્સ
- દયાબેનની વાપસી ન થઈ હોવાને લીધે ફેન્સ ક્રોધિત
- ટ્વીટર પર શૉને બોયકોટ કરવાની ચર્ચા શરૂ
તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા ઘણાં વર્ષોથી ટીવીનો બેસ્ટ કોમેડી ફેમિલી શો રહ્યો છે. તેની ફેન ફોલોઈંગ ઘણી વિશાળ છે. છેલ્લાં થોડા સમયમાં શૉનાં તમામ સારા એક્ટર્સ શૉ છોડી ચૂક્યાં છે. એ બાદ તેના પ્લોટમાં ઘણાં ફેરફાર કરવામાં આવ્યાં છે. પણ આ શૉમાં હવે પહેલા જેવી વાત રહી નથી. શૉને લઈને ફરી એકવાર દયાબેનની વાપસીને લઈને ચર્ચા શરૂ થઈ હતી પણ હવે દયાબેનની એન્ટ્રી ન થવાને લીધે લોકો ક્રોધિત થયાં છે અને ટ્વીટર પર શોને બોયકૉટ કરવાની માંગ કરી રહ્યાં છે.
દયાબેનની વાપસીની ખબર
આ પહેલા જણાવવામાં આવ્યું હતું કે tmkoc એક નવા વળાંક પર છે કારણકે દયાબેનની વાપસી થવાની છે. જો કે હાલનાં એપિસોડમાં આપણને એક સીન જોવા મળ્યો જેમાં જેઠાલાલ નીચે જઈને દયાબેનનાં આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ટપ્પૂએ સુંદરલાલને સોસાયટીમાં આવવાનાં તેમના સમય અંગે પૂછવા માટે ફોન કર્યો હતો.
ન આવી દયા
છેલ્લે જ્યારે દયાબેન ગોકલધામમાં એન્ટ્રી કરવાનાં જ હતાં તેવામાં જેઠાલાલે એક કારને અચાનક સોસાયટીમાં અંદર આવતાં જોયું અને તે અત્યંત ખુશ થઈ ગયાં. પણ તેમાં દયાબેન નહોતી. આ ક્લિપમાં વળાંક તો ત્યારે આવ્યો જ્યારે મહેતા સાહેબ ચિંતામાં દેખાયા. ગાડીમાં દયાબેન ન હોવાને લીધે જેઠાલાલનું દીલ તૂટી ગયું અને એ સોસાયટીની બહાર જતો રહ્યો.
ફેન્સમાં ગુસ્સો
કારનો દરવાજો ખુલતાની સાથે જ જેઠાલાલ ખુશ થઈ ગયાં અને ટપ્પૂની માંને જલ્દી બહાર આવવા માટે કહ્યું. પણ ગાડીમાં દયાબેન નહોતી. શૉમાં હજુ સુધી દયાબેન પાછા આવ્યાં નથી આ જોઈને ફેન્સ ગુસ્સે થયાં છે. આ બધું જોઈને લોકો ટ્વીટર પર પોતાની નારાજગી વ્યક્ત કરવા લાગ્યાં છે. બોયકોટ ધ શૉની વાત ફેન્સ કરી રહ્યાં છે.