વિશ્વ

મોરક્કોમાં 6.8ની તીવ્રતાના ભૂકંપે દેશને ધ્રૂજાવી દીધો

અત્યાર સુધીમાં 600થી વધુ લોકોના મોત, અનેક ઈમારતો થઈ જમીનદોસ્ત

  • ઐતિહાસિક શહેર મારકેશથી એટલાસ પર્વતમાળાના ગામો સુધીની ઇમારતોને નુકસાન

  • PM મોદીએ મોરક્કોમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં મૃત્યુ પામનાર લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

મોરક્કોમાં મોડી રાત્રે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, આ ભૂકંપના કારણે ઓછામાં ઓછા 632 લોકોના મોત અહેવાલ મળી રહ્યા છે. જ્યારે 329થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર પણ મળી રહ્યા છે. હજુ સુધી રાહત અને બચાવકાર્યની કામગીરી ચાલુ છે. મંત્રાલયે કહ્યું કે મોટા ભાગનું નુકસાન શહેરો અને નગરોની બહાર થયું છે. મોરોક્કોમાં આવેલ પ્રચંડ ભૂકંપના કારણે ઐતિહાસિક શહેર મારકેશથી એટલાસ પર્વતમાળાના ગામો સુધીની ઇમારતોને નુકસાન થયું હતું.

ભારતીય સમય અનુસાર ભુકંપ વહેલી સવારે આવ્યો હતો

ભારતીય સમય અનુસાર આજે વહેલી સવારે 3.41 વાગ્યાની આસપાસ આ ભૂકંપ આવ્યો હતો. USGS અનુસાર આ 120 વર્ષોમાં ઉત્તરી આફ્રિકામાં સૌથી શક્તિશાળી ભૂકંપ છે. USGSએ જણાવ્યુ હતું કે વર્ષ 1900 બાદ આ એરિયાના 500 કિમી ક્ષેત્રમાં કોઈપણ એમ 6 લેવલ અથવા તેનાથી મોટો ભૂકંપ આવ્યો નથી. અહી એમ 5 લેવલનો ભૂકંપ જ નોંધાયો છે. મારાકેશ શહેરના એક રહેવાસીએ જણાવ્યુ હતું કે ભૂકંપના કારણે અનેક ઈમારત ધરાશાયી થઈ છે. હાલ વિનાશક ભૂકંપને કારણે લોકમાં ભયનો માહોલ છે. આ ભયાનક ભૂકંપની તસવીર અને વીડિયો સામે આવી રહ્યા છે.

PM પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરક્કોમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં મૃત્યુ પામનાર લોકોના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. તેમણે પોતાના સોશ્યલ મીડિયા સાઈટ પર લખ્યું હતું કે મોરક્કોમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનથી ખુબ જ દુ:ખ થયું છે. આ દુ:ખના સમયે મારી સંવેદના મોરક્કોના તે લોકો સાથે છે જેના તેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. ભારત આ મુશ્કેલ સમયમાં સક્ય તેટલી મદદ કરવા તૈયાર છે.

તુર્કિયેમાં પણ આવો જ વિનાશકારી ભૂકંપ આવ્યો હતો

આ પહેલા તુર્કીયેમાં પણ આવો જ એક વિનાશકારી ભૂકંપ 6 ફેબ્રુઆરી 2023ના રોજ આવ્યો હતો, જેમાં 45 હજારથી વધુ લોકોના મોત થયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કિયેનું ગાઝિઆન્ટેપ હતું. 2004 માં પણ ભૂમધ્ય સમુદ્રના દરિયાકાંઠાના શહેર અલ હોસીમા નજીક 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 600 થી વધુ લોકો માર્યા ગયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button