માંગરોળસુરત

મણીપુરની ઘટનામાં કડક કાર્યવાહી કરવા માંગણી

માંગરોળ તાલુકા આદિવાસી સર્વાંગી વિકાસ સંઘના સભ્યોએ મણિપુર રાજ્યમાં બનેલી સ્ત્રી અત્યાચારની ઘટના માં દોષિત આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.

મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ આદિવાસી સર્વાંગી વિકાસ સંઘના આશાબેન ચૌધરી નીતાબેન ચૌધરી ગીતાબેન ચૌધરી અને સંઘના સભ્યો એ લેખિત રજૂઆત કરી જણાવ્યું કે આદિવાસીઓ સાથે અમાનવીય વ્યવહાર માનવ સભ્યતા અને ભારત દેશની ગરિમાને શરમાવે તેવા બનાવો વધી રહ્યા છે. આવી અંત્યંત ઘાતકી ઘટનાને અંજામ આપનારા લોકો સામે અતિ કડક કાર્યવાહી થવી જોઇએ. કેટલાક સમયથી વિકાસના નામે આદિવાસીઓ સાથે ઘણા અત્યાચારો થઈ રહ્યા છે તે બંધ કરવામાં આવે તેવી અમારી માગણી છે વધુમાં ગુજરાત પંચાયતની જોગવાઈઓ 2017 નિયમ સાત મુજબ ગ્રામસભા પતિના કાર્ય નો કાર્યક્ષમ અમલ કરવા ત્રણ સમિતિની રચના કરવાનું હોય છે. સમિતિઓ હાલમાં પંચાયત પ્રમાણે બનાવાય છે. સમિતિઓમાંથી શાંતિ સમિતિ પૈસાના દરેક 4,503 ગામોમાં બંને તેમ કરવું જોઈએ શાંતિ અને સલામતી અને તકરારનો ઉકેલ લાવવામાં સરળતા બને તેમજ પૈસા કાયદા પ્રમાણે ગ્રામ સભાનું આયોજન તેમજ જંગલ જમીનોના હક પ્રશ્નોનું નિરાકરણ કરવા આદિવાસી સર્વાંગી વિકાસ સંઘે માગણી કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button