માંડવી

માંડવી તાલુકામાં પ્રજાની સુખાકારીમાં વધારો કરે એવા 3.11 કરોડના ખર્ચે થનારા 6 વિકાસકામોનું ખાતમુહૂર્ત

વરજાખણ,પુનાગામ,કોસાડી, ઉન,ગોડસંબા અને ગોદાવાડીમાં વિવિધ કામો હાથ ધરાશે

માંડવી તાલુકાના વિવિધ ગામોમાં વિવિધ યોજના અંતર્ગત મંજૂર થયેલા રૂ.3.11 કરોડના 6 કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં રૂ.80 લાખના ખર્ચે વરજાખણ બસ સ્ટેશનથી ડુંગરી ફળિયાને જોડતા રસ્તા બનાવવાનું કામ, રૂ. 17 લાખના ખર્ચે પુના ગામમાં પંચાયત ઘર, રૂ.17 લાખના ખર્ચે કોસાડી ગ્રામ પંચાયત ઘર, રૂ.17 લાખના ખર્ચે નિર્મિત ઉનગામમાં પંચાયત ઘર, રૂ.60 લાખના ખર્ચે ગોદાવાડી ગામે બસ સ્ટેશનથી કોસાડી જતા રસ્તાનું કામ, રૂ.120 લાખના ખર્ચે ગોડસંબાથી ગોદાવાડી દેવ ફળિયા પ્રા.શાળાને જોડતા રસ્તાનું કામ મળી કુલ રૂ.3.11 કરોડના છ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ કામો દ્વારા માંડવીના નગરજનો માટે આગવી માળખાગત સુવિધાઓ ઉભી થનાર છે. જેને લઇ આગામી સમયમાં પ્રજાની સુખાકારીમાં વધારો થશે.

ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ-સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસકામોની ગતિ અટકે નહીં એવું લક્ષ્ય સેવ્યું છે. રસ્તાઓના નિર્માણથી ગ્રામ્ય જનતાની યાતાયાતની સુવિધામાં વધારો થશે, તેમજ બાકી રહેલાં કામોને આગામી સમયમાં પ્રાથમિકતા આપી ઝડપભેર પૂર્ણ થશે.

આ પ્રસંગે માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત સુરતના સભ્ય અનિલભાઈ ચૌધરી, માંડવી પ્રાંત અધિકારી કૌશિકભાઈ જાદવ, માંડવી તાલુકા વિકાસ અધિકારી રવિન્દ્રસિંહ સોલંકી, માંડવી મામલતદાર મનીષભાઈ પટેલ, ગોદાવાડી ગામના સરપંચ સ્વાતિબેન પટેલ, તલાટી-કમ-મંત્રી, ગ્રામ પંચાયત સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button