![](http://transparencynews.in/wp-content/uploads/2023/11/poicha.webp)
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટાયેલાં ભાજપના 66 સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ પોઇચા ખાતે યોજાયો હતો. જેમાં રાજય સરકારના મંત્રી કુંવરજી હળપતિ ખાસ ઉપસ્થિત રહયાં હતાં. પોઈચા સ્વામિનારાયણ મંદિર ખાતે ડૉ.પ્રકાશચંદ્ર પટેલ,પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય અશોક ધોરાજીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ,મહામંત્રી નિલ રાવ,વિક્રમ તડવી, ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ હાજર રહ્યા હતા. પ્રશિક્ષણ વર્ગને સંબોધિત કરતાં મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, પી.એમ.જે.વાય કાર્ડ દરેક લોકોના ઘરે મળી રહે તે ખાસ તાલુકા પંચાયતના સદસ્યો એ ધ્યાન રાખવું જોઈએ અને જો કોઈ પાસે ના હોઈ તો સદસ્યોએ ધ્યાન રાખી ને કઢાવી આપવું જોઈએ જેથી કોઈના ઘરમાં બીમાર હોઈ તો આ કાર્ડ દ્વારા સારવાર લઈ શકે. પ્રધાનમંત્રી આવાસ અને મુખ્યમંત્રી આવાસ યોજનાનો લાભ પણ જેને ઘરની જરૂરિયાત છે તે લોકો ને માથા પર છત મળી રહે.પી.એમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયા કેટલા લોકો ને લાભ મળે છે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ .