નવસારી

વાંસદા તા.પંચાયત પ્રમુખની કામ મુદ્દે નિરાકરણની ખાત્રીથી સરપંચોનું આંદોલન ત્રીજા દિવસે સમેટાયું

16મીએ મિટિંગ કરી રાબેતા મુજબ કામગીરી કરવાનું આશ્વાસન આપતા સરપંચ એસો. રાજી થયું

વાંસદા તાલુકા સરપંચ એસોસિએશનના સરપંચોના પ્રતિક ધરણાં બાદ બુધવારે તાલુકા પંચાયત પ્રમુખ અને સરપંચ પ્રતિનિધિ મંડળ સાથે મળી 16મી સપ્ટેબર બાદ તાલુકા પંચાયતમાં સરપંચો સાથે મિટિંગ કરી રાબેતા મુજબ કામગીરી કરવાનું આશ્વાસન આપતા સરપંચોએ આંદોલન સમેટી લીધું હતું. વાંસદા તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખના મનિષ પટેલની નેજા હેઠળ અનેક ગામોના સરપંચો છેલ્લા કેટલાક સમયથી રૂપિયા 5 લાખ સુધીના વિકાસના કામો ગ્રામ પંચાયતને નહીં આપી અન્ય મંડળીઓ પાસે કરાવવા સામે વિરોધનો સાથે વિવિધ કાર્યક્રમો આપ્યા હતા. આંદોલન મોકુફ બુધવારે પ્રતિક ધરણાંના ત્રીજા દિવસે તાલુકા પંચાયતના પ્રમુખ સાથે સરપંચ પ્રતિનિધિ મંડળ મિટિંગ કરી હતી. જેમાં તાલુકા પંચાયત તરફથી આગામી 16 સપ્ટેમ્બરના રોજ તાલુકા પંચાયત કચેરીમાં મિટિંગ કરી ગ્રામ પંચાયતમાં જે આગળ ચાલતું હતું તે પ્રમાણે બેઠક કરી તેનો રસ્તો લાવવા માટે આશ્વાસન આપતા સરપંચો પોતાનો આંદોલન હાલ પૂરતું મોફૂક રાખ્યું હતું. જો કે આગામી સમયમાં તાલુકા પંચાયત પ્રમુખના નિર્ણય ઉપર સમગ્ર મદાર રહેલો છે. સરપંચ ઓસોસિએશનના આંદોલનમાં હાજર સરપંચો નજરે પડે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button