![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ સાગબારા અને ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ ગામોની મુલાકાત લઈ લોકો સાથે સંવાદ સાધી પડતી મુશ્કેલીઓથી વાકેફ થયા હતા. તેમણે દેડીયાપાડા ખાતે પોતાના સ્વ.પિતા અહમદ પટેલ અને એચ. એમ.પી.ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત હોસ્પિટલ ખાતે સ્થાનિક આદિવાસી આગેવાનો અને નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
જેમાં આદિવાસી સમાજ જળ, જંગલ અને જમીનના મૂળ હકો સચવાય એના પર ગહન ચર્ચા કરી. આ મુલાકાતમાં અનિલ ભગત, જેરમા વસાવા, વત્સલા વસાવા, ચંદુ વસાવા, સુરેશ વસાવા, વનરાજ વસાવા, પરેશ વસાવા સહિતના આગેવાન હાજર રહ્યા હતા. તેમણે સાગબારાના અંતરિયાળ એવા બોરડીફળી ગામના આદિવાસી લોકો સાથે મુલાકાત કરી તેઓને પડતી મુશ્કેલીઓ બાબતે જાત માહિતી મેળવી હતી અને ચર્ચા વિચારણા કરી ગ્રામજનો સાથે સંવાદ સાધી પ્રશ્નો સાંભળ્યા હતા.