નર્મદા
નર્મદામાં ખેડૂતો ટેકાના ભાવે પાક વેચી શકશે
![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
નર્મદા જિલ્લાના ખેડૂતોના લઘુતમ ટેકાના ભાવે ડાંગર અને મકાઇની ખરીદીકરવામાં આવશે. નર્મદામાં ડાંગર, અને મકાઇ પકવતા ખેડૂતો તેમનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક 31 ઓક્ટોબર 2023 સુધી ફરજીયાત ઓનલાઇન નોંધણી કરવાની રહેશે. ખરીફ પાકના ખેડૂતો માટે ડાંગર (કોમન) 2183 રૂા. પ્રતિ ક્વિટલ, ડાંગર (ગ્રેડ-એ) 2203 રૂા. પ્રતિ ક્વિટલ અને મકાઈ 2090 રૂા. પ્રતિ ક્વિટલ પ્રમાણે ખરીદવાનું નક્કી થયું છે.