તાપી
સોનગઢ તાલુકા વકીલ મંડળ ની પ્રથમ વખત યોજાયેલી ચૂંટણી
![](http://transparencynews.in/wp-content/uploads/2023/12/સોનગઢ.webp)
સોનગઢ તાલુકા વકીલ મંડળ ની પ્રથમ વખત યોજાયેલી ચૂંટણી માટે ચૂંટણી કમિશનર તરીકે નોટરી રાકેશભાઈ બધેકા અને ચૂંટણી અધિકારી પદ પર વકીલ ઇશ્વરભાઈ ગામીત ની વરણી થઈ હતી. પ્રમુખ પદ માટે જિતેન્દ્ર ગીરાશે અને અજય ગામિતે ઉમેદવારી નોંધાવી હતી. 22 સભ્યો પૈકી ના વીસ સભ્યો એ મતદાન કર્યું હતું તેમાં જિતેન્દ્ર ગીરાશે ને 17 મત જ્યારે અજય ને માત્ર 03 જ મત મળતાં જિતેન્દ્ર ગીરાશે બહુમતી સાથે પ્રમુખ પદ પર ચૂંટાયા હતાં.એ સાથે જ ઉપપ્રમુખ પદ પર ચેતના બહેન ગામીત,મંત્રી પદ પર અનિલ ગામીત,સહમંત્રી પદ પર નિમેષ ગામીત અને ખજાનચી તરીકે કૃપાલી બહેન ડી ભટ્ટ તથા લાઈબ્રેરીએન તરીકે મનાલી બહેન ઢોડીયા બિનહરીફ ચૂંટાયા હતાં.