માંડવી
માંડવી સ્મશાન ગૃહના વિકાસ માટે રૂ. 2.31 લાખની આહીર સમાજ દ્વારા મદદ
![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
માંડવી તથા વાઘનેરા અને ખેડપુર વિસ્તારમાં રહેતા આહીર સમાજના પરિવારો દ્વારા માંડવી ભૂમિની કૃતજ્ઞતા માટે સ્મશાન ભૂમિને વધુ સુવિધા સભર બનાવવા માટે આર્થિક ભંડોળ એકત્રિત કરવાનો નિર્ધાર કર્યો હતો અને આહીર સમાજના પ્રમુખ હમીરભાઇ રાવલીયા તથા આગેવાનોએ સમાજના પરિવારોને આર્થિક સહયોગની ટહેલ નાખતા 2.31 લાખ એકત્રિત કરાયા હતા જેને નગર અગ્રણી નટુભાઈ રબારી તથા બાલુભાઇ શાહ ની ઉપસ્થિતિમાં સ્મશાન ગૃહના વિકાસ માટે અર્પણ કરી અન્ય સમાજ માટે પણ પ્રેરણા રૂપ આર્થિક યોગદાન આપ્યું હતું.