ગુજરાતદક્ષિણ ગુજરાતબારડોલીબ્લોકરાજ્યસુરત

મઢીમાં મીંઢોળા નદીના પુલની આજુબાજુમાં કચરાના ઢગલાને કારણે રાહદારીઓ પરેશાન

ચાલતા જતાં લોકો અને વિદ્યાર્થીઓ ગંદકીથી પરેશાન

વાપી શામળાજી માર્ગ પર સુરાલી ગામની સીમમાંથી પસાર થતી મીંઢોળા નદીના પુલ નજીક ગ્રામજનો દ્વારા ઘરવપરાશના કચરાનો નિકાલ કરતાં કચરાનો ઢગલો થઈ ગયો છે. જેનાથી અહીંથી પસાર થતાં શાળાના બાળકો તેમજ સવારે ચાલવા જતાં લોકોએ નાક પર રૂમાલ મુકી પસાર થવું પડે એટલી હદ સુધી ગંદકી જોવા મળી રહી છે.

આ અંગે ગ્રામપંચાયત યોગ્ય કાર્યવાહી કરે એવી માગ ગ્રામજનોકરી રહ્યાં છે. બારડોલી તાલુકાના સુરાલી ગામમાંથી પસાર થતો વાપી શામળાજી માર્ગ પર મીંઢોળા નદીના પુલની સાઈડ ગંદકીનું ગાભણ બની ગયું હોય એવું જોવા મળી રહ્યું છે. રહીશો પોતાના ઘરવપરાશનો કચરો અહીં નિકાલ કરતાં કચરાનો ઢગલો જોવા મળી રહ્યો છે.

હાલ ચોમાસાની સિઝન ચાલુ હોવાથી વરસાદને કારણે કચરાની અત્યંત દુર્ગંધને કારણે પસાર થતાં લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સવાર સવારમાં ચાલવા જતાં લોકો માટે વિદ્યાર્થીઓ માટે તો માથાનો દુખાવા સમાન થઈ પડ્યું છે. નાક પર રૂમાલ મુકીને પસાર થવું પડી રહ્યું છે. આ અંગે ગ્રામપંચાયત દ્વારા સફાઈ કરાવવામાં આવે એવી જાગૃત નાગરિકો માગ કરી રહ્યાં છે.

ગંદકી દૂર કરીને સ્વસ્થ્ય વાતાવરણનું સર્જન કરાશે
મઢી- બાજીપુરા રોડ પર મીંઢોળા પુલના નાકા પર રહીશો દ્વારા કચરો નાંખવામાં આવે છે, જેને કારણે લોકોને હાલાકી પડી રહી છે. ગંદકી દૂર કરી સ્વસ્થ્ય વાતાવરણનું સર્જન કરાશે.
પુષ્પાબહેન ચૌધરી, સરપંચ, મઢી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button