માંગરોળ

બે બાઈક ભટકાતા ઓગણીસાના માજી સરપંચનું ઘટના સ્થળે મોત

માંગરોળ તાલુકાના વાંકલ થી આંબાપારડી જતા માર્ગ પર ઓગણીસા ગામ નજીક હનુમાનજીના મંદિર પાસે બે બાઈકો ભટકાતા ઓગણીસા ગામના માજી સરપંચ ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર વાંકલથી આંબા પારડી જતા માર્ગ પર ઓગણીસા ગામ નજીક હનુમાનજી મંદિર પાસે વાંકલ તરફ આવી રહેલા (GJ.19BH3496) ના બાઈક ચાલકે પાછળથી આવી ઓગણીસા ગામના માજી સરપંચ ભગુભાઈ મોચડા ચૌધરી જેઓ બાઇક પર જઇ રહ્યા હતા. તેમને ટક્કર મારતા પગમાં તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા માજી સરપંચ ભગુભાઈ ચૌધરીનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું . આ ઘટના ની જાણ સોમભાઈ ચૌધરી સહિત ગામના આગેવાનો ને થતા દોડી આવ્યા હતા અને પોલીસ ને જાણ કરી હતી ભગુભાઈ ચૌધરી ઓગણીસા ગામના સરપંચ તરીકે દસ વર્ષ સેવા આપી હતી જ્યારે દૂધ મંડળીના મંત્રી તરીકે 20 વર્ષ સેવા આપી હતી અજાણ્યા વાહન ચાલક ઘટના સ્થળ પર બાઈક મૂકી ફરાર થઈ ગયો હતો ધટના સ્થળ પર મરણ જનાર ભગુભાઈ ચૌધરીનું ઝંખવાવ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ કરી બાઇક ચાલક વિરૂધ્ધ ઝંખવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button