![](http://transparencynews.in/wp-content/uploads/2023/11/બારડોલી-સરપંચ-એસોસિયન.webp)
બારડોલી તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા વન ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં ઉપસ્થિત સરપંચોએ ગામના વિકાસ અંગે ચર્ચા કરી હતી. અને તેમને લગતી કેટલીક સમસ્યા અને સુજાવની આપ લે કરી હતી. સૌ સરપંચોએ એક સાથે વનભોજનકરી આનંદ વ્યક્ત કર્યો હતો. મોટી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહી એકતા પ્રદર્શિત કરી હતી. તમામ કાર્યક્રમને સફળ બનાવવા માટે અલ્લુના સરપંચ મનુભાઈ ઢોડિયાએ જહેમત ઉઠાવી હતી.