![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
આજના સમયમાં લગ્નજીવન ટકાવવું એ સૌથી કપરી બાબત છે પરંતુ લગ્નનાં 22 વર્ષે પણ સુખ માટે તરસતી એક પરિણીતા પતિ દ્વારા આપવામાં આવતો પારાવાર માનસિક ત્રાસ સહન ન થતાં 181 અભયમની મદદ માંગી હતી. અભયમની ટીમે આખરે પતિને કાયદાકીય સમજ આપતાં પતિએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી.
વઘઈ તાલુકામાં રહેતી ગંગાબેન (નામ બદલ્યું છે)નાં લગ્નને 22 વર્ષ થયાં છે અને ત્રણ સંતાન છે. સમય સાથે ઘણું બદલાયું પરંતુ સંસારમાં કાયમ માટેનો ખટરાગ ક્યાંક ને ક્યાંક ખટકતો હતો. વ્યસની પતિનો શારીરિક અને માનસિક પરિતાપ હદ વટાવતો હતો. ઉપરાંત પતિ છૂટાછેડાની ધમકી પણ આપતો હોવાથી પત્ની કંટાળી ગઈ હતી અને આખરે ડાંગ 181 અભયમની મદદ માંગી હતી. ડાંગ 181 અભયમની ટીમ મહિલાના ઘરે પહોંચી હતી અને તેમણે પતિ સાથે વાત કરી હતી. પતિને કાયદાકીય અને પત્નીના હક, અધિકાર વિશે સમજણ આપી ઝઘડો નહીં કરવા માટે સમજાવ્યો હતો. આથી પતિને પોતાની ભૂલ સમજાઈ હતી અને હવે પછી આવો ઝઘડો નહીં થાય તથા બાળકોને સારી રીતે રાખશે એવી બાયધરી આપતાં પતિ અને પત્ની વચ્ચે સુખદ સમાધાન થયું હતું.