તાપી
યોગ્ય વ્યવસ્થાપન ના હોવાથી થોડા દિવસ પહેલા મુકાયેલ વ્યારા શ્રીરામની સાઇકલ દુળ ખાઈ છે.
![](http://transparencynews.in/wp-content/uploads/2023/10/વ્યારા-તળાવ.webp)
વ્યારા નગરના રામ તળાવમાં વોકવે આવેલો હોવાથી વ્યારા નગરજનો મોટી સંખ્યામાં સવાર સાંજ હરવા ફરવા અને ચાલવા માટે આવે છે. જેને લઈને થોડા વર્ષ અગાઉ વ્યારા નગરપાલિકા દ્વારા શ્રીરામ તળાવમાં સાયકલો મૂકવામાં આવી હતી.
જેથી ચાલવા માટે આવતા નગરજનો સાયકલ ચલાવી સ્વાસ્થ્ય સારું રાખતા હતા. જોકે છેલ્લા કેટલાય સમયથી શ્રીરામ તળાવમાં મૂકવામાં આવેલી સાઇકલો જાળવણી ના અભાવે હાલ બિન ઉપયોગી બની ગઈ છે જેને લઈને શ્રીરામ તળાવમાં સાયકલનો ચલાવવાનો આનંદ લેવા આવનાર સહેલાણીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. વ્યારા નગરપાલિકા દ્વારા સાયકલો અને રીપેરીંગ કરાવી પુન: નગરજનોને ઉપયોગમાં આવે એ રીતે કામગીરી કરાવે એવી માંગ ઉઠવા પામી છે.