નર્મદા

સાગબારાના જાવલી ગામમાં શેરડીના ખેતરમાં ભીષણ આગ લાગતા મહિલાને ભારે નુકસાન થયું

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામે મહિલાના ખેતરમાં આગ લાગતાં શેરડીનો અડધા ઉપરાંતનો પાક બળી ગયો હતો.

આગ લાગવાનું ચોકકસ કારણ હજી બહાર આવ્યું નથી પણ મહિલાને 50 હજારથી વધુનું આર્થિક નુકસાન થયું છે. જાવલી ગામના એક ખેતરમાં આગ લાગતાં અડધું શેરડીનું ખેતર આ આગમાં બળી જતાં મોટું નુકસાન થયું છે.

ગામમાં રહેતાં કલાવતી વળવીએ પોલીસને જાણ કર્યા મુજબ તેમના જાવલી ગામની સીમમા આવેલ શેરડીના ખેતરમાં કોઇ કારણસર આકસ્મીક રીતે આગ લાગતા શેરડીનું વાવેતરવાળા અડધા ખેતરમાં શેરડીનો પાક સળગી ગયો હતો. અંદાજે રૂપિયા 50 હજાર જેટલાનું નુકસાન પહોંચ્યું હતું. સાગબારા પોલીસે આ મુદ્દે નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button