તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકાના 38 ગ્રામ પંચાયતોમાં અંદાજિત 104 જેટલાં ગામોઓનું સમાવેશ થાય છે. જેમાં 40 ગામોમાં સસ્તા અનાજની દુકાનો આવેલ છે. નિઝર તાલુકાના 22 જેટલાં ગામો અને કુકરમુંડા તાલુકામાં 18 જેટલાં ગામોમાં સસ્તા અનાજની દુકાનો આવેલ છે.
બંને તાલુકામાં આવેલ સસ્તા અનાજની દુકાનોઓમાં કુકરમુંડા તાલુકાના મુખ્ય મથક કુકરમુંડા ખાતે આવેલ સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજનો જથ્થો પહોંચતો હોય છે. પરંતુ આ મહિનામાં 18 દિવસો પસાર થવા આવ્યા છતાં પણ સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો પૂરતા પ્રમાણમાં પહોંચ્યો જ નથી.
સરકાર દ્વારા ગરીબ કુટુંબ પરિવારોના રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનોમાંથી વ્યાજબી ભાવે અનાજ આપવામાં આવે છે. જેમાં ચોખા, તેલ, ઘઉં, ખાંડ, ચણા, નમક, તુવેરની દાળનું સમાવેશ થાય છે. પરંતુ બંને તાલુકામાં આવેલ અંદાજિત 40 જેટલી સસ્તા અનાજની દુકાનોમાં આ મહિને સરકારી ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાનોમાં અન્ય અનાજનો જથ્થો તો પહોંચ્યો છે. પણ ચણા, તુવેરદાળનો જથ્થો પહોંચ્યો જ નથી.
કુકરમુંડા તાલુકામાં APL. BPL અને NFSA ના રેશનકાર્ડ ધારોકોના સંખ્યા અંદાજિત 11 હજારથી પણ વધુ છે. જેમાં 09 હજારથી વધુ રેશનકાર્ડ ધારોકોને સસ્તા અનાજની દુકાનો માંથી વ્યાજબી ભાવે અનાજ મળે છે. હજારથી વધુ રેશનકાર્ડ ધારોકોની આવક વધુ હોવાથી સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ મળતું નથી. તેમજ નિઝર તાલુકામાં પણ 14 હજારથી પણ વધુ રેશનકાર્ડ ધારોકો છે. જેમાં 11 હજારથી વધુ રેશનકાર્ડ ધારોકોને સસ્તા અનાજની દુકાનોમાંથી વ્યાજબી ભાવે અનાજ મળી રહ્યું છે. તેમજ 03 હજારથી વધુ રેશનકાર્ડ ધારાકોની આવક વધુ હોવાથી સસ્તા અનાજની દુકાનોમાંથી વ્યાજબી ભાવે અપાવમાં આવતું અનાજ મળતું નથી.
આ બંને તાલુકામાં આવેલ સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો પૂરતા પ્રણામમાં ન પહોંચતો હોવાના કારણે રેશનકાર્ડ ધારોકોને પૂરતા પ્રણામમાં અનાજ મળતું નથી. આ બાબતે કુકરમુંડા ખાતે આવેલ સરકારી અનાજના ગોડાઉનના મેનેજર અરૂણભાઈ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું. તુવેરદાળનો જથ્થો આવ્યો નથી અને ચણા ટેસ્ટિંગ કરવા મોકલવવામાં આવ્યા હતા.આજે જ ચણાનું વિતરણ કરી દેવામાં આવેલ છે. તેમ જણાવ્યું હતું.