માંડવી
દિવાળીએ દિવાળું ફૂંકાયું: માંડવીમાં ફટાકડાની ચિનગારીથી ફર્નિચરના કારખાનામાં આગ
![](http://transparencynews.in/wp-content/uploads/2023/11/mandvi.webp)
માંડવી બરોડિયા વિસ્તારમાં આવેલ ફર્નિચર વર્કશોપમાં સ્થાનિક લોકો દ્વારા ફટાકડા ફોડવામાં આવી રહ્યાં હતાં. તે દરમિયાન જ વર્કશોપમાં અચાનક જ આવી પડેલા અગ્નિની ચીનગારીથી આગ લાગી હતી. ગણતરીની મિનીટોમાં આગે વિકરાળરૂપ લીધુ હતું. નસીબજોગ વર્શોપમાં રોકાયેલ બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિક લોકોએ આગને કાબૂમાં લવામાં આવતાં પ્રયત્નો કર્યા હતાં. પરંતુ આગ કાબૂમાં આવી ન હતી. માંડવીની ફાયર ટીમને જાણ કરતાં તાત્કાિલક ઘટના સ્થળે ધસી ગયા પરંતુ આગ બૂઝાવે તે પહેલા વર્કશોપની તમામ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી. દિવાળીની સિઝનમાં લાગેલી આગને કારણે ફર્નિચર બનાવતીની ફેક્ટરીના માલિકના જીવનમાં હોળી જેવી સ્થિતી સર્જાઇ હતી.